📗 ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિ અને તેના લેખકો 📗
![]() |
Gujarati sahitya |
Join Telegram:- GpssbMphwFhw
1. ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શુર. - અખો
2. મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે. - હરજી લવજી દામાણી
3. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, - કવિ કલાપી
4. યા હોમ કરીને પડો,ફતેહ છે આગે. - કવિ નર્મદ
5. અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું બાગમાં..... - શેખાદમ આબુવાલા
6. હેજી તારા આંગણીયે કોઈ આવે તો
એને આવકારો મીઠો આપજે રે...... - દુલા કાગ
7. ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. - મકરંદ દવે
8. હું માનવી માનવ થાઉં તો ધણું. - સુન્દરમ્
9. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. - અરદેશર ખબરદાર
10. જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું પ્રભાત. - કવિ નર્મદ
11. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી
મુકુ ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ. - પ્રેમાંનદ
12. ગુણવંતી ગુજરાત,અમારી ગુણવંતી ગુજરાત નમીએ
નમીએ માત,અમારી ગુણવંતી ગુજરાત. - કવિ અરદેશર ખબરદાર
13. મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. - ઉમાશંકર જોશી
14. ધન્હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ - ન્હાનાલાલ
15. હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. - કલાપી
16. જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ ! - કવિ બોટાદકર
17. રામ રાખે તેમ રહીએ,ઓધવજી રામ રાખે તેમ રહીએ.. - મીરાંબાઈ
18. જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો. - કરસનદાસ માણેક
19. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ ! - ઝવેરચંદ મેધાણી
20. રે પંખીડા ! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો. - કવિ કલાપી
21. હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો? - દલપતરામ
22. તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો. - કવિ કલાપી
23. આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી
સોગાત ખુદાની. - બરકત વિરાણી
24. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના? - અમૃત ધાયલ
25. ત્રણ વાનાં મુજને મળ્યાં,હૈયું ,મસ્તક, હાથ;
બહુ આપી દીધું નાથ, જા,ચોથું નથી માગવું . - ઉમાશંકર જોશી
26. સિંહને શસ્ત્ર શાં ! અને વીરને મુત્યુ શાં ! - કવિ ન્હાનાલાલ
27. ભરત ભૂમિની ગુણવંતી લધુ પુણ્યવતી રસભૂમિ
સત્યાગ્રહની કર્મભૂમિતું,ઝઝૂમીએ જહાં ધૂમી જય ગાન
ગજવના માન ! તુજને વંદન જય ગુજરાત - બચુભાઈ રાવત
28. મંગલ મંદિર ખોલો ! દયામય મંગલ મંદિર ખોલો ! - નરસિંહરાવ દિવેટિયા
29. બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું
નિખાલસ પ્રેમથી પારો જગત,તો ઝેર પી જાશું. - ગની દહીંવાલા
30. વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી. - ઉમાશંકર જોશી
31. મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી
એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી. - ન્હાનાલાલ
32. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે,સૌદર્ય પામવા
માટે સુંદર બનવું પડે. - કલાપી
33. વૈષ્ણવજન તો તેને રે કહીએ...... - નરસિંહ મહેતા
34. એક મુરખને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ.... - અખો
35. હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને . - પ્રીતમ
36. શ્યામ રંગ સમીપે ન જાઉં, - દયારામ
37. મેરૂ રે ડગેને જેનાં મનના ડગે.... - ગંગાસતી
38. વ્રજ વહાલું રે,વૈકુંઠ નહીં આવું, - દયારામ
39. અંધેરી નગરી ને ગંડુ રાજા.... - દલપતરામ
40. આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે... - નરસિંહરાવ દિવેટિયા
41. નિશાન ચૂફ માફ નહી નીચું નિશાન.. - બ.ક.ઠાકર
42. મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.- કરસનદાસ માણેક
43. માનવી ભૂંડો નથી,ભૂખ ભૂંડી છે, - પન્નાલાલ પટેલ
44. ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, - રાજેન્દ્ર શાહ
45. પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,જાણે મોસમનો
પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તને યાદ આવ્યા, - હરીન્દ્ર દવે
🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍
🔸પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ?
👉🏾જવાબ: વડોદરા
🔸પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ?
👉🏾જવાબ: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ
🔸પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી?
👉🏾જવાબ: સુદામાચરિત્ર
🔸પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇ છે?
👉🏾જવાબ: ઓખાહરણ
🔸પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ?
👉🏾જવાબ: સોની
🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍
🔹પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?
👉🏾જવાબ: આદિલ મન્સુરી
🔹પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે?
👉🏾Ans: ખાડિયા
🔹પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે?
👉🏾જવાબ: કવિ માંડણ બંધારો
🔹પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ?
👉🏾જવાબ: અપભ્રંશ
🔹પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ?
👉🏾જવાબ: કનૈયાલાલ મુનશી
🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍
🔸પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?
👉🏾જવાબ: માનવીની ભવાઇ
🔸પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબર નથી’ - ગઝલના લેખક કોણ છે?
👉🏾જવાબ: આદિલ મન્સુરી
🔸પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ - જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ?
👉🏾જવાબ: હરિન્દ્ર દવે
🔸પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા?
👉🏾જવાબ: કવિ ભાલણ
🔸પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે?
👉🏾જવાબ: બળવંતરાય ક. ઠાકોર
🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍
🔹નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ?
👉🏾જવાબ: કવિ શામળ
🔹નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે?
👉🏾જવાબ: મારું જીવન એ જ મારી વાણી
🔹ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિના પુત્ર હતા?
👉🏾જવાબ: કવિ દલપતરામ
🔹પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે?
👉🏾જવાબ: માનવીની ભવાઇ
0 Comments