krishna janmashtami 2022(જન્માષ્ટમી 2022): ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મથી લઈને દેહત્યાગ સુધી, શ્રીકૃષ્ણના જીવનની 8 ખાસ વાત, જે જીવનના દરેક પડકાર સામે લડતા શીખવાડે છે
કૃષ્ણ જન્માષ્ટમી 2022:- ધરતી ઉપર ભગવાન કૃષ્ણના અવતાર થયાંને 5248 વર્ષ થઈ ગયાં છે. મોટા ભાગના લોકો શ્રીકૃષ્ણના પ્રેમી સ્વરૂપને જ જુએ છે. લીલાઓ કરનાર, હંમેશાં હસતા અને મજાક-મસ્તી કરનાર દેવતાની છબી તરીકે ભગવાન શ્રીકૃષ્ણની જ રહી છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તેમના જીવનમાં જે પ્રકારનાં પડકાર અને પરેશાનીઓ આવી એ કદાચ બીજા કોઈ કોઈ અવતાર સામે આવી નથી.
![]() |
Shree Krishna Janmashtami 2022 |
દ્વાપર યુગમાં મથુરાની જેલમાં જન્મેલા શ્રીકૃષ્ણનું જીવન એ જેલની કાળકોઠરીથી લઈને ગુજરાતમાં સોમનાથ પાસે પ્રભાસક્ષેત્રમાં દેહત્યાગ કરવા સુધીના સંઘર્ષોમાં વીત્યું છે. તેમના જીવનની દરેક ઘટના આજે પણ આપણને જીવનમાં આવતા દરેક પડકાર અને પરેશાનીઓ સામે લડવાનો રસ્તો બતાવે છે.
ચાલો, તો જન્માષ્ટમીના અવસરે ભગવન કૃષ્ણના જીવનની એવી 8 વાત જાણીએ કે કેવી રીતે પોતાનું જીવન સારું અને સુખી બનાવી શકાય છે.
જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની 8 લાઇફ મેનેજમેન્ટ ટિપ્સ(8 Life Management Tips of Lord Shri Krishna on Janmashtami Day):-
![]() |
Shree Krishna Janmashtami 2022 |
1.)પહેલી વાત
શ્રીકૃષ્ણનો જન્મ અડધી રાતે મથુરાના કારાગૃહમાં થયો. કંસે માતા દેવકી અને પિતા વસુદેવને કેદ કરી રાખ્યાં હતાં,કેમ કે તે બંનેના આઠમા બાળકના હાથે કંસનું મૃત્યુ થવાનું હતું.
શ્રીકૃષ્ણએ આઠમા બાળક તરીકે જન્મ લીધો અને તે રાતે પિતા વસુદેવ તેમને લઇને ગોકુળ જતા રહ્યા. ગોકુળમાં નંદબાબાને શ્રીકૃષ્ણ સોંપ્યા અને નંદ-યશોદાની બાળકી મહામાયાને લઇને પાછા ફર્યા.
બોધપાઠ
• જીવનમાં સંઘર્ષનો કોઈ સમય નક્કી હોતો નથી. સંઘર્ષ જન્મ સાથે જ શરૂ થઈ જાય છે
• પહેલું યુદ્ધ પોતાને જીવિત રાખવાનું હોય છે. શ્રીકૃષ્ણ ભગવાન તરીકે જન્મેલા હતા, છતાંય જીવનને બચાવવાનો પહેલો સંઘર્ષ જન્મની રાતથી જ શરૂ થઈ ગયો.
• સંઘર્ષ સામે ગભરાવું નહીં...થોડો ત્યાગ પણ કરવો પડી શકે છે. તેના માટે તૈયાર રહો
![]() |
Shree Krishna Janmashtami 2022 |
2.)બીજી વાત
શ્રીકૃષ્ણ જ્યારે 5 વર્ષના હતા, ત્યારથી જ પોતાના ઘરની ગાયોને ચરાવવા માટે જંગલ લઈને જતા હતા. પોતાના ગોવાળિયા મિત્રો સાથે તેઓ આખો દિવસ વ્રજમંડળના જંગલમાં પોતાની ગાયોની સુરક્ષા માટે રહેતા હતા. ત્યાં જ સાથે લાવેલું ભોજન કરતા હતા. સાંજ સુધી તેઓ ગાયોની વચ્ચે રહેતા હતા, તેમનું ધ્યાન રાખતા અને સાંજે બધાને લઇને ઘરે આવતા હતા.
બોધપાઠ
• બાળકોને લાડ-પ્રેમ આપો, પરંતુ તેમને જવાબદાર પણ બનાવો. તેમને નાનાં-નાનાં કામ પણ સોંપો
• આવું કરવાથી તેમની અંદર ઘર પ્રત્યે જવાબદારીનો ભાવ પણ આવશે અને દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં નિર્ણય લેવાની ક્ષમતા પણ આવશે. પ્રેમનો ભાવ પણ વધશે
• આવું કરવાથી ઘર અને પરિવાર પ્રત્યે તેઓ વધારે ગંભીર થશે, તેમના મનમાં પ્રેમનો ભાવ પણ રહેશે
![]() |
Shree Krishna Janmashtami 2022 |
3.)ત્રીજી વાત
વૃંદાવન અને ગોકુળના લોકો ઇન્દ્રની પૂજા કરતા હતા,જેથી ઇન્દ્ર સારો વરસાદ કરાવે. ઇન્દ્ર મેઘોના રાજા છે,વરસાદ કરાવવો તેમનું મૂળ કર્તવ્ય છે. શ્રીકૃષ્ણએ ઇન્દ્રની પૂજા અટકાવી અને ગોવર્ધન પર્વતની પૂજા શરૂ કરાવી. ઇન્દ્રએ ગોકુળ ઉપર ભારે વરસાદ કર્યો ત્યારે શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડીને બધા લોકોની રક્ષા કરી, પરંતુ ઇન્દ્રની પૂજા થવા દીધી નહીં.
બોધપાઠ
• આ સંદેશ છે કે લોકોએ તેમનાં કર્ત્યને પૂર્ણ કરવા માટે કોઇ લાંચ લેવી જોઈએ નહીં. ખોટું કામ થતું અટકાવવું
• આપણાં સંસ્કાર એવા હોવા જોઈએ કે ખોટાં કામનો વિરોધ કરી શકીએ. એવા સંસ્કાર બાળપણમાં જ આપી શકાય છે.બાળપણમાં શીખવાડવામાં આવતી સારી આદતો જીવનભર રહે છે
• બાળકોમાં ખોટાં કામનો વિરોધ કરવાની ક્ષમતા હશે, તો તેઓ પોતાના જીવનને ખૂબ જ સારું બનાવી શકશે
![]() |
Shree Krishna Janmashtami 2022 |
4.)ચોથી વાત
શ્રીકૃષ્ણએ ઉજ્જયિની (મધ્યપ્રદેશનું ઉજ્જૈન) ના મહર્ષિ સાંદીપનિના આશ્રમમાં શિક્ષા લીધી. જ્યારે ગુરૂદક્ષિણા
આપવાનો સમય આવ્યો, ત્યારે સાંદીપનિએ માગ્યુ કે તેમનો ખોવાયેલો પુત્ર પાછો લાવી આપે,જે શંખાસુરની કેદમાં છે. જે પ્રભાસ ક્ષેત્રના સાગરમાં રહે છે. શ્રીકૃષ્ણએ શંખાસુરને માર્યો.ગુરુના પુત્રને પાછા લાવ્યા. ત્યારે શ્રીકૃષ્ણએ સમુદ્રની વચ્ચે એક ટાપુ જોયો. પછી જરાસંધના આક્રમણથી બચવા માટે અહીંજ દ્વારિકા નગરી વસાવી.
બોધપાઠ
• આપણે જે પણ કામ કરીએ, દિમાગ લગાવીને કરીએ. દરેક વસ્તુ ઉપર નજર રાખીએ
• અમુક વસ્તુઓ જે તે સમયે તમારા કામની ન હોય, પરંતુ ભવિષ્યમાં તે કોઈને કામ આવી શકે છે. હંમેશાં દૂરદૃષ્ટિ રાખીને જ વસ્તુઓ અંગે વિચારવું જોઈએ
• વર્તમાનમાં કામ કરીને ભવિષ્ય અંગે વિચાર અને યોજનાઓ બનાવતા રહેવું જોઈએ
![]() |
Shree Krishna Janmashtami 2022 |
5.)પાંચમી વાત
રુક્મિણીનાં લગ્ન તેમના ભાઈ રુક્મીએ શિશુપાલ સાથે નક્કી કર્યાં હતાં.રુક્મિણી શ્રીકૃષ્ણને પ્રેમ કરતી હતી. તેમણે શ્રીકૃષ્ણને સંદેશ મોકલ્યો. તેઓ આવ્યા અને રુક્મિણીનું હરણ કરીને લઇ ગયા. શ્રીકૃષ્ણએ રુક્મીને યુદ્ધમાં હરાવીને છોડી દીધા. લગ્ન પહેલાં બંને પરિવારમાં ખૂબ જ વિવાદ થઈ ગયો હતો. છતાંય આ કડવાશની અસર તેમના સંબંધો ઉપર ક્યારેય પડી નહીં. બંનેનાં મનમાં એકબીજા માટે હંમેશાં પ્રેમ અને સન્માન રહ્યું.
બોધપાઠ
• પરિવાર અને ગૃહસ્થીનો આધાર પ્રેમ હોય છે. તેમાં ક્યારેય ઓટ આવવી જોઈએ નહીં
• પારિવારિક મતભેદ કે લગ્નની અસર પણ પતિ પત્નીના સંબંધો ઉપર થવી જોઈએ નહીં.ગૃહસ્થીમાં ક્લેશનું પહેલું બીજ પારિવારિક મતભેદોથી જ રોપાય છે
• પતિ-પત્ની બંનેમાં એકબીજા પ્રત્યે પ્રેમની સાથોસાથ સન્માનનો ભાવ રહેવો પણ જરૂરી છે
![]() |
Shree Krishna Janmashtami 2022 |
6.)છઠ્ઠી વાત
બે વાર એવું થયું જ્યારે દેશ અને સમાજમાં શાંતિ માટે શ્રીકૃષ્ણએ અનેક પ્રકારે સમાધાન કરાવવાની કોશિશ કરી.પોતાના ઉપર કલંક પણ સહન કર્યું.પહેલીવાર જ્યારે કંસનો વધ કર્યો ત્યારે તેમના સસરા જરાસંધ સતત મથુરા ઉપર આક્રમણ કરવા લાગ્યા. યુદ્ધને હંમેશ માટે રોકવા માટે તેમણે મથુરા છોડીને દ્વારિકા વસાવી. બીજી વાર, કૌરવ-પાંડવોનું યુદ્ધ ટાળવા માટે તેમણે શાંતિદૂત બનીને જવાનું પસંદ કર્યું
બોધપાઠ
• સમાજ અને દેશ માટે શાંતિ સૌથી જરૂરી છે. તેના માટે કોઈપણ કિંમત વધારે નથી
• આપણે વિવાદો અને ઝઘડાને જેટલા બની શકે તેટલા ટાળવાની કોશિશ કરવી જોઈએ.સમાધાન વધુ બહેતર વિકલ્પ છે. એકબીજા સાથે બને તેટલો પ્રેમ જાળવી રાખવો જોઈએ
• વિવાદોમાં સંબંધોની સાથોસાથ એ વાતનું પણ ધ્યાન રાખો કે સાચું કોણ છે અને ખોટું કોણ છે?
![]() |
Shree Krishna Janmashtami 2022 |
7.)સાતમી વાત
પ્રાચીન ભારતનું એક રાજ્ય હતું પ્રાગ્જ્યોતિષપુર. અહીં નરકાસુર નામનો રાક્ષસ હતો. જેણે 16,100 મહિલાઓને કેદ કરી રાખી હતી. શ્રીકૃષ્ણ સુધી આ વાત પહોંચી. તેમણે નરકાસુર સામે યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો. ઘરના લોકો તે મહિલાઓને અપનાવવા માટે તૈયાર નહોતા, તેમના મતે તે સ્ત્રીઓ હવે અપવિત્ર થઈ ગઈ હતી. શ્રીકૃષ્ણએ મહિલાઓને કહ્યું હું તમને બધાને આજથી મારી પત્નીનો દરજ્જો આપું છું,મારા ઘરમાં તમે બધા તે જ સન્માન સાથે રહેશો, જેવું સન્માન એક પત્નીને મળવું જોઈએ.
બોધપાઠ
• સમાજમાં મહિલાઓને સંપૂર્ણ સન્માન મળવું જોઈએ. સ્ત્રીનું શોષણ થવું જોઈએ નહીં
• સામાજિક માન્યતાઓ અને કુરીતિઓ વિરૂદ્ધ હંમેશાં અવાજ ઉઠાવવો જોઈએ. જો સમાજ કોઇની પાસેથી તેમનો હક છીનવી લે તો આપણે પીડિતનો સાથ આપવો જોઈએ
• નારીનું અપમાન અને અત્યાચાર કરનાર લોકોને સજા મળવી જોઈએ
![]() |
Shree Krishna Janmashtami 2022 |
8.)આઠમી વાત
દ્વારિકા ડૂબી ગયા પછી ભગવાન શ્રીકૃષ્ણ એક ઝાડ નીચે બેઠા હતા. તેમના પગના પંજામાં એક મણિ હતો જેની ચમક દૂરથી દેખાતી હતી. એક શિકારી દૂરથી તે ચમકને જોઈ રહ્યો હતો. તેને થયું કે ત્યાં કોઈ જાનવર બેઠું છે. તેણે તે ચમક પર નિશાન સાધ્યું અને તીર છોડ્યું, જે સીધું શ્રીકૃષ્ણના પગમાં વાગ્યું. આ તીરના ઝેરના પ્રભાવથી તેમણે પોતાનો દેહ ત્યાગ કરી દીધો. ત્યારે તેમની આસપાસ કોઈ હતું નહીં. અર્જુન તેમને શોધતાં ત્યાં આવી પહોંચ્યો
બોધપાઠ
• તમે ભલે ગમે તેટલા સક્ષમ હો, શક્તિશાળી હો,જન્મ લેનાર દરેક વ્યક્તિએ આ શરીર છોડવું જ પડે છે
• મોટામાં મોટી વ્યક્તિના જીવનમાં પણ એવી પરિસ્થિતિઓ આવી શકે છે કે તેમના અંતિમ સમયમાં કોઈ તેમની સાથે ન હોય. સૃષ્ટિના નિયમ બધા માટે સમાન છે
• વ્યક્તિ જન્મે પણ એકલો અને મૃત્યુ પણ એકલો જ પામે છે. કોઈ સાથે આવતું નથી
ભગવાન શ્રીકૃષ્ણની 5 વસ્તુઓ જે શીખવાડે છે જીવન જીવવાની રીત:-
1.) મોરપીંછ
ભગવાન કૃષ્ણની પ્રિય વસ્તુ મોરપીંછ છે.મોરપીછમાં બધા પ્રકારના રંગ હોય છે. વ્યક્તિના જીવનમાં બધા પ્રકારના રંગ હોઈ શકે છે. વ્યક્તિ જો આ રંગોને એટલે કે સુખ, દુઃખ, પ્રેમ, કરુણા, સંબંધ, ધન વગેરેને શિસ્ત અને મર્યાદામાં રાખે તો જીવન ખૂબ સુંદર બની શકે છે.જરૂર છે માત્ર યોગ્ય તાલમેલની.
2.) વાંસળી
વાંસળીમાં 8 છિદ્ર હોય છે.આ વાંસળી માનવ જીવનનું પ્રતીક છે. તેમાં જે છિદ્ર છે, તે ખામીઓ છે, જે દરેક વ્યક્તિમાં ગમે તે સ્વરૂપે હોય જ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જીવનમાં ભલે લાખ ત્રુટિઓ હોય, પરંતુ જીવવાની રીત અને વિચારો પોઝિટિવ હોય તો અનેક અધૂરપ છતાં જીવનને મધુરતાથી જીવી શકાય છે.
3.) સુદર્શન ચક્ર
આ શ્રીકૃષ્ણનું હથિયાર છે,પરંતુ તેનું નામ સુદર્શન છે. સુ+દર્શન એટલે જે દેખાવમાં ખૂબ જ સુંદર હોય, પ્રભાવશાળી હોય.માણસ માટે તેનું વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી જ સુદર્શન ચક્ર છે. લોકો તમારા વ્યક્તિત્વને જોઈને જ તમારી સાથે વ્યવહાર કરે છે. જો આ સુદર્શન છે, તો દરેક જગ્યાએ તમારો વિજય નક્કી છે.
4.) વૈજયંતી માળા
કમળનાં ફૂલના બીજથી બનેલી માળાને વૈજયંતી માળા કહેવાય છે. કમળના ફૂલની ખાસિયત છે કે તે ખૂબ જ કડક હોય છે. સરળતાથી તૂટતા નથી.તે બોધપાઠ આપે છે કે વ્યક્તિએ દરેક પ્રકારની પરિસ્થિતિમાં પોતાને તૂટવા દેવા જોઈએ નહીં, અને કાદવમાં પણ જળકમળવત્ રહેવું જોઇએ.
5.) માખણ- મિસરી
માખણ ખૂબ જ નરમ અને એકદમ પીગળે તેવું હોય છે. મિસરી કડક હોય છે,પરંતુ તેના કણ-કણ માખણમાં મિક્સ થઈને મીઠાશ આપે છે. તે બોધપાઠ આપે છે કે આપણો સ્વભાવ માખણ જેવો નરમ અને વ્યવહાર મિસરીની જેમ બધામાં મિક્સ થાય તેવો હોવો જોઈએ.
ભગવાન શ્રીકૃષ્ણનાં જીવનની મહત્ત્વની ઘટનાઓનાં સાક્ષી બનેલાં ભારતનાં નગરો :-
1.) મથુરા(UP)
વૃક્ષ સંવારના પંચાંગને આધાર માનીએ તો આજથી લગભગ 5248 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો.
2.) ગોકુળ (UP)
જન્મની રાતે જ ભગવાન શ્રીકૃષ્ણને તેમના પિતા વસુદેવ મથુરાથી લગભગ 10 કિમી દૂર યમુના પાર આવેલાં ગામ ગોકુળ લઈ ગયા
3.) વૃંદા વન(UP)
ગોકુળમાં સતત કંસનો ઉપદ્રવ વધવાના કારણે નંદબાબાએ મથુરા છોડીને વૃંદાવન જવાનું નક્કી કર્યું. ત્યારે ભગવાનની ઉંમર લગભગ 5 વર્ષ હતી.
4.) ઉજ્જયિની(M.P)
કંસને માર્યા પછી શ્રીકૃષ્ણને અભ્યાસ માટે સાંદીપનિ ઋષિ પાસે મોકલવામાં આવ્યા, જે તે સમયે મધ્ય ભારતના સૌથી મોટા શહેર ઉજ્જયિનીમાં રહેતા હતા. અહીં શ્રીકૃષ્ણએ 64 કળાઓનું જ્ઞાન મેળવ્યું અને સુદામા સાથે તેમની મૈત્રી થઈ.
5.) દ્વારિકા, (ગુજરાત)
મથુરામાં જરાસંધનાં સતત આક્રમણોથી મથુરાવાસીઓને પારાવાર નુકસાન થઈ રહ્યું હતું. ત્યારે શ્રીકૃષ્ણએ ગુજરાતના પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્ર વચ્ચે દ્વારિકા વસાવી, જેથી સમુદ્રની વચ્ચે કોઈ આક્રમણ કરી શકે નહીં. આ સાથે જ શ્રીકૃષ્ણ દ્વારિકાધીશ બન્યા.
6.)પાંચાલ(હિમાચલ)
પાંચાલ રાજ્ય એટલે દ્રૌપદીનું શહેર.
હિમાલયમાં વસેલું આ શહેર આજના ઉત્તર હિમાચલથી લઇને પશ્ચિમ હિમાચલમાં નૈમિષારણ્ય સુધી છે. દ્રૌપદીના સ્વયંવરમાં પણ શ્રીકૃષ્ણ હાજર હતા.
7.) ઇન્દ્રપ્રસ્થ(નવી દિલ્હીની આસપાસનો વિસ્તાર)
આ સ્થાનને વર્તમાન દિલ્હી કહી શકાય. હસ્તિનાપુર સામ્રાજ્યના ભાગલામાં પાંડવોને જંગલ મળ્યું, જેને ભગવાન શ્રીકૃષ્ણની મદદથી પાંડવોએ સૌથી સુંદર શહેર ઇન્દ્રપ્રસ્થ સ્વરૂપે વસાવ્યું.
8.)મગધ(બિહાર, આજનું પટના)
પ્રાચીન ભારતના સૌથી શક્તિશાળી રાજ્યોમાંનું એક મગધ હતું.જે આજનું બિહાર છે.મહાભારત કાળમાં જરાસંધ અહીંનો અતિ શક્તિશાળી રાજા હતો. ભગવાન શ્રીકૃષ્ણ ભીમ અને અર્જુન સાથે અહીં આવ્યા હતા. ભીમે મલ્લયુદ્ધ (કુસ્તી)માં જરાસંધને માર્યો હતો.
9.) કુરુક્ષેત્ર(હરિયાણા)
હરિયાણાનું આ શહેર મહાભારત કાળમાં પણ કુરુક્ષેત્રના નામથી જ જાણીતું હતું. મહાભારતનું યુદ્ધ અને અર્જુનને ગીતાનો ઉપદેશ ભગવાન કૃષ્ણએ જ અહીંજ આપ્યો હતો.
10.) પ્રભાસ ક્ષેત્ર(વર્તમાનમાં સોમનાથ)
આ સ્થાન ગુજરાતના સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરથી થોડી મિનિટના અંતરે છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ આરામ કરી રહ્યા હતા અને ભીલે તેમના પગમાં તીર માર્યું હતું, જેના કારણે ભગવાને દેહ ત્યાગ કર્યો.
.નોંધ:- આ સંપુર્ણ આર્ટિકલ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે લખવામ આવેલ છે
Janmashtami 2022 Date
krishna janmashtami 2022
Janmashtami
Krishna Janmashtami
Janmashtami kab hai
when is janmashtami
Janmashtami 2022 date and time
janmashtami date 2022
krishnashtami 2022 date
janmashtami kab ki hai
When is Janmashtami in 2022
janmashtami date
when is janmashtami in 2022
when is janmashtami
when is krishna janmashtami
when is janmashtami 2022
2022 janmashtami date
0 Comments